દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2020

    દાળિયા હાઈસ્કૂલમાં માતૃ  પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો
    પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળેલી આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ અભિમુખ કરવા તેમજ આપણા સનાતન મૂલ્યોથી અવગત કરાવવા શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો .જેમાં સાર્વજનિક  કેળવણી મંડળના માનનીય પ્રમુખશ્રી જયંતિ દાદા ,આદરણીય  મંત્રીશ્રી રમેશભાઈ તેમજ વાલી મંડળના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 35 વાલીઓ માતા-પિતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આચાર્યશ્રી હિતેશભાઇ ભટ્ટે માટે પ્રાસંગિક તથા આવકાર પ્રવચન   કર્યું હતું .શાળાની વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકા મીનાબેનના,શિકસાક્ષરી ગોપાલભાઈ ના    સુંદર મજાના ગીતો અને શ્લોકો દ્વારા   વાતાવરણ ભાવમય અને વાત્સલ્યમય બન્યું હતું .માતૃપિતૃ વંદના કાર્યક્રમ માં બાળકોએ કુમકુમ તિલક ,અક્ષત લગાવી ,ફૂલહાર પહેરાવી માતા પિતા ની આરતી ઉતારી હતી .ત્યારબાદ સૌ વડીલોને ,શિક્ષકશ્રીને  પણ  બાળકોએ કુમકુમ તિલક કર્યા હતા ત્યારબાદ પ્રમુખશ્રી  જયંતિદાદાએએ આશીર્વચન કહ્યા હતા.વાલીમંડળના પ્રમુખશ્રી   કલ્પેશભાઈ.એ કાર્યક્રમને સફળ જણાવી આયોજકો અને વાલીઓને અભિનંદન   પાઠવ્યા હતા . માનનીય મંત્રીશ્રી રમેશભાઈએ પ્રેરણાદાયી ઉદબોધન   કરી વિદ્યાર્થીઓને આ આચરણ દરરોજ કરવા અંગે ભારપૂર્વક જણાવ્યુ હતું.આ પહેલા એમણે વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રતિભાવો મેળવ્યા હતા. અંતે સુપરવાઈજર શ્રી  કાંતિભાઇ પટેલે આભારવિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનભાઈ ચૌધરીએ કર્યું હતું.


    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો